રત્નકલાકારોને ભરવા પડતા વ્યવસાય વેરા આ અંગે વિધાનસભામાં રજૂઆત કરતાં ધારાસભ્ય અમરીશભાઈ ડેર
સુરત શહેર સહિત ગુજરાત રાજ્ય માં અંદાજે 25 લાખ પરિવાર ડાયમંડ ક્ષેત્ર માં રત્નકલાકાર તરીકે કામ કરી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.
ઘણા સમય થી ડાયમંડ એસોસિયેશન સુરત દ્વારા રત્નકલાકારોને ભરવો પડતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) રદ કરવામાં આવે એ માટે મુહિમ ચલાવવા માં આવી રહ્યું છે.
મહાનગર પાલિકા ની ચૂંટણી અન્વયે થોડા સમય પહેલાં મારે જ્યારે સુરત જવાનું થયું હતું ત્યારે આગેવાનો એ આ બાબતે મને રજુઆત કરી હતી ત્યારે મેં વચન આપ્યું હતું કે હું આ મુદ્દો વિધાનસભા સત્ર માં ઉઠાવીશ તે બાબતે મારી ફરજના ભાગરૂપે મેં આજે વિધાનસભા સત્ર દરમ્યાન વ્યવસાય વેરો માફ કરવા સરકારશ્રીને રજુઆત કરી.
આતાભાઇ વી.વાઘ વિકટર,રાજુલા